પૈસાનું આંધણ ! 42 કરોડના હાટકેશ્વર બ્રિજને 10 કરોડના ખર્ચે તોડી પડાશે
અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવાઈ ગયો છે. આ બ્રિજને તોડવા પાછળ 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કે હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણપણે તોડવા માટેનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. રૂ. 9.31 કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજને તોડવા માટેનું ટેન્ડર કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા માટેનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે. બ્રિજને હાલ પૂરતો તોડવા અંગેનો નિર્ણય કરવામાં આવતા તેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. બ્રિજ તોડવા અંગેનો સંપૂર્ણ ખર્ચ જુના કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવામાં આવનાર છે.
રૂ. 42 કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ છેલ્લા 3 વર્ષથી નાગરિકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.હાટકેશ્વર બ્રિજનું નિર્માણકાર્ય ચાલુ હતું ત્યારે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, ડિઝાઇન કન્સલ્ટન્ટ, પ્રૂફ ચેકિંગ કન્સલ્ટન્ટ વગેરે બાબતો પર સુપરવિઝન કે તપાસ કરવામાં જ આવી નહોતી.