કલોલ તાલુકાના નારદીપુર ગામમાં ચોરીનો ભેદ ઉકેલાયો, 19.70 લાખનો મુદ્દામાલ જપ્ત

કલોલ તાલુકાના નારદીપુર ગામમાં ચોરીનો ભેદ ઉકેલાયો, 19.70 લાખનો મુદ્દામાલ જપ્ત

Share On

કલોલ તાલુકાના નારદીપુર ગામમાં ચોરીનો ભેદ ઉકેલાયો, 19.70 લાખનો મુદ્દામાલ જપ્ત

Story By Prashant Leuva 

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા નારદીપુર ગામમાં થયેલી ચોરીની ઘટનાનો ભેદ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) અને કલોલ તાલુકા પોલીસે સફળતાપૂર્વક ઉકેલી લીધો છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ 19.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ચોરીના ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓની ધરપકડ કરી છે.

નારદીપુર ગામમાં થોડા દિવસો પહેલાં એક ઘરમાં થયેલી ચોરીની ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર જગાવી હતી. ચોરોએ ઘરમાંથી રોકડ રકમ, સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી. આ ઘટનાની ફરિયાદ નોંધાતાં જ ગાંધીનગર એલસીબી અને કલોલ તાલુકા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં સંડોવાયેલા કેટલાક આરોપીઓ  આસપાસના વિસ્તારોમાં સક્રિય છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે કલોલ તાલુકા પોલીસ સાથે મળીને યોજનાબદ્ધ રીતે ઓપરેશન હાથ ધર્યું. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય ગુપ્તચર માહિતીનો ઉપયોગ કરીને આરોપીઓની ઓળખ કરી અને તેમના ઠેકાણા શોધી કાઢ્યા હતા.

પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ચોરીના ગુનામાં સંડોવાયેલા કુલ છ આરોપીઓને ઝડપી પાડ્યા. ઝડપાયેલા આરોપીઓમાં પિયુષ દંતાણી,શીતલબેન વાઘેલા,અજય દંતાણી,મેહુલ ઠાકોર,આફતાબખાન પઠાણનો સમાવેશ થાય છે.પોલીસે ભારતીય ચલણની રોકડ રકમ,યુએસ ડોલર,મોબાઈલ ફોન,ઓટો રિક્ષા (ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાઈ)સોના અને ચાંદીના ઘરેણા સહીતનો 19.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

કલોલ સમાચાર