શેરથાના વેપારીના અપહરણનો નિષ્ફ્ળ પ્રયાસ,1.25 કરોડની ખંડણી માંગી 

શેરથાના વેપારીના અપહરણનો નિષ્ફ્ળ પ્રયાસ,1.25 કરોડની ખંડણી માંગી 

Share On

Kalol : શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ગુનાખોરો બેફામ થઇ ગયા છે. હવે દિનદહાડે ચોરી,લૂંટફાટ તેમજ અપહરણની ઘટનાઓ બની રહી છે.   શેરથામાં મરી મસાલાની ખળી ધરાવતા અને સોલા-સાયન્સ સિટી રોડ પર રહેતા વેપારીના અપહરણનો પ્રયાસ કરીને 1.25 કરોડની ખંડણી માંગનારી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. અપહરણ કર્તા પકડાયા બાદ એક મોટો ખુલાસો થયો છે કે આ ગેંગમાંથી એક વ્યક્તિ વેપારીની ખળીમાં કામ કરતો જૂનો કર્મચારી જ છે.

વેપારીને ત્યાં દોઢેક વર્ષ અગાઉ સાગરજી પ્રહલાદજી ઠાકોર નોકરી કરતો હતો.બાદમાં આશરે દોઢેક મહીના ઉપર તેના સાગરિત સાગર પ્રહલાદજી ઠાકોર તથા મનિશજી લાલાજી ઠાકોર તથા વિજયજી દશરથજી ઠાકોર તથા કૃણાલગીરી વિષ્ણુગીરી ગોસ્વામીએ સરળતાથી પૈસા મેળવવાના હેતુથી કોઇ પૈસાદાર પાર્ટની અપહરણ કરી ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો.

વિડિઓ અચૂક જુઓ

https://youtu.be/pfL4AMKufvU

7 જુલાઈના દિવસે શેરથાથી રાત્રે 8.20 વાગ્યે પોતાના એક્ટિવા પર અમદાવાદ જઈ રહ્યા હતા તે દરમિયાન શેરથા કટ પાસે કેટલાક શખ્સો તેમનું એક્ટિવા ધીમું પડ્યા બાદ ધસી આવ્યા હતા. દિલીપભાઈને માર મારીને તેમને એક રિક્ષામાં ઢસળી જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન તેમણે બૂમાબૂમ કરતા તેમને ઢસડીને રિક્ષામાં લઈ જવાનો પ્રયાસ કરનારા નાસી ગયા હતા.

દિલીપભાઇ ધ્વારા કોઇ પોલીસ ફરીયાદ નહી થતા દિલીપભાઇ આ બનાવથી ગભરાઇ ગયા હોવાનુ માની ચારેય આરોપીએ દિલીપભાઇને ફોન કરી ધમકી આપી ખંડણી માંગવાનુ નકકી કર્યું હતું.દિલીપભાઇના મોબાઇલ નંબર ઉપર ફોન કરી વિજય ઠાકોરે હિન્દી ભાષામાં ધમકી આપી સવા કરોડ રૂપીયાની ખંડણી માંગી હતી. અને જો નહી આપે તો તેમના પરિવારને એક એક કરી ખતમ કરી દેશે તેવી ધમકી આપેલ હતી . પોલીસ ફરિયાદ બાદ તેઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.

 

અહીં ક્લિક કરી અમારી યુટ્યુબ ચેનલ સબસ્કાઇબ કરો :https://www.youtube.com/channel/UCPCLsYkUaIM9U5t49dVM3qg 

અમારા ફેસબુક પેજને લાઈક કરવા અહીં ક્લિક કરો : https://www.facebook.com/kalolsamachar

 

કલોલ સમાચાર