અમિત શાહે કલોલમાં હોસ્પિટલ- યુનિવર્સિટીના કામનું ખાતમુહૂર્ત કર્યું
આજે રથયાત્રાના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કલોલ આવ્યા હતા.. અહીં તેઓ વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અમિત શાહ કલોલ નજીક આવેલ સઈજમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેઓએ સ્વામિનારાયણ વિશ્વવિદ્યાલયના નવા વહીવટી બ્લોકનું ઉદ્ઘાટન કર્યું અને 750 બેડની PSM મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ નો શિલાન્યાસ કર્યો હતો.
તેઓએ જણાવ્યું હતું કે ધર્મની સાથે સાથે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સ્વામિનારાયણ સંસ્થાનું અજોડ યોગદાન છે. 350 કરોડના ખર્ચે નિર્માણ થનારી PSM મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ હશે. તેમાં 100 ICU બેડ તેમજ સીટી સ્કેન, MRI, બ્લડ બેંક જેવી અન્ય સુવિધાઓ હશે. હું સ્વામિનારાયણ સંસ્થાને આ સેવાકીય કાર્ય માટે અભિનંદન પાઠવું છું તેમ જણાવ્યું હતું.
કલોલની રથયાત્રા અહીં વિરામ કરવા રોકાઈ,એક્સક્લુઝીવ ફોટા જોવા અહીં ક્લિક કરો
અમિત શાહે જણાવ્યું હતું કે 2013-14માં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા એ પહેલાં આ દેશમાં 387 મેડિકલ કોલેજો હતી અને આજે 603 મેડિકલ કોલેજો દેશમાં કામ કરે છે. સ્વામીનારાયણ સંપ્રદાયે સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યસનમુક્તિ એમ આ ચાર ક્ષેત્રોમાં ખૂબ ખંતથી કામ કર્યું છે.
આ ઉપરાંત 1 જુલાઇએ સવારે 4 વાગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે. સવારે 9 વાગે કલોલમાં સ્વામિનારાયણ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યારબાદ રૂપાલ ગામમાં કેન્દ્રિય ગૃહમંત્રીની રજત તુલા થશે. અને ત્યાંજ અમિત શાહ જનસભાને સંબોધન કરશે. પછી વાસણ ગામમાં શાહ તળાવનું ભૂમિપૂજન કરશે અને સાંજે અમદાવાદના મોડાસર ગામમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાત મુર્હત કરશે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો