કલોલ-પાનસર વચ્ચે નવો રેલવે ઓવરબ્રિજ બનશે,વાહન ચાલકોને થશે મોટો ફાયદો 

કલોલ-પાનસર વચ્ચે નવો રેલવે ઓવરબ્રિજ બનશે,વાહન ચાલકોને થશે મોટો ફાયદો 

Share On

કલોલ-પાનસર વચ્ચે નવો રેલવે ઓવરબ્રિજ બનશે

કલોલ અને પાનસર વચ્ચે આવેલ રેલવે ફાટક પર નવો ઓવરબ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રેલવે ઓવરબ્રિજથી હજારો વાહન ચાલકોને ફાયદો થશે. અમદાવાદ-મહેસાણા મુખ્ય રેલવે લાઈન પર બનનાર આ બ્રિજને કારણે ફાટક પર ટ્રાફિકની સમસ્યા ઘટશે તેમજ સમય અને ઇંધણની બચત થશે.
અમદાવાદ-મહેસાણા વચ્ચે મોટી સંખ્યામાં ટ્રેનો દોડતી હોવાથી વારંવાર આ ફાટક બંધ કરવો પડે છે. આ રોડ મહત્વના ગામોને જોડતો હોવાથી હજારો વાહનો અહીંથી પસાર થાય છે. રેલવે ઓવરબ્રિજ બનવાથી પાનસર,ડીંગુચા,વડસ્મા,કોઠા,વડુ તેમજ કરજીસણ સહીતના ગામોને મોટો ફાયદો થશે. મહેસાણા તરફ જવા માટે પણ વાહન ચાલકો આ રૂટનો ઉપયોગ કરતા હોય છે.આ રોડ પર ટ્રાફિક વધુ રહેતો હોવાથી તંત્ર દ્બારા નવો ઓવરબ્રિજ બનાવવાની તૈયારી આદરવામાં આવી છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર