શ્રીજી વિદ્યાલયમાં ગુરુવારે એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું…..
કલોલમાં આવેલ નરનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીજી વિદ્યાલયમાં ગુરુવારે એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં કલોલ શહેર પીઆઇ વી.આર.ખેર, મેનેજિંગ ટ્રસ્ટી અને સામાજિક આગેવાન જયેશભાઇ પરમાર (બકાલાલ) તિમિરભાઈ જયસ્વાલ,બળદેવજી જે ઠાકોર,મનિષભાઈ શ્રીમાળીએ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
પ્રતિવર્ષ વિદ્યાલયોમાં ઘણાં બધા ઉત્સવ મનાવવામાં આવે છે. પરંતુ એમાં વાર્ષિક ઉત્સવનું મહત્ત્વ સૌથી વધારે છે. ક્લોલના રેલવે પૂર્વમાં આવેલ શ્રીજી વિદ્યાલયમાં ગત વર્ષોની જેમ આ વર્ષે પણ વાર્ષિક ઉત્સવ ખૂબ ધૂમધામથી મનાવવામાં આવ્યો હતો. જેમાં બાળકો દ્વારા વિવિધ પ્રોગ્રામ રજુ કરવામાં આવ્યા હતા. બાળકોએ ડાન્સ, ગરબા,નાટક,વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
કેજીના વિદ્યાર્થીઓએ પિતા અને સંતાનો વચ્ચેના પ્રેમને દર્શાવતી કૃતિ રજૂ કરી હતી જેથી વાતાવરણ ભાવુક થઈ ગયું હતું. શ્રીજી વિદ્યાલયના વાર્ષિક ઉત્સવને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. એક પછી એક ધમાકેદાર પરફોર્મન્સને કારણે વાલીઓ તેમજ દર્શકોએ પણ બાળકોને તાળીઓથી વધાવી લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સંચાલક જનક જાગીરદાર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ શાળાના આચાર્ય નિરુબેન પટેલ દ્વારા કાર્યક્રમને સફળ બનવવા જહેમત ઉઠાવાઈ હતી. શ્રીજી વિદ્યાલયના સફળ કાર્યક્રમ પાછળ સંચાલક જનક જાગીરદારની ખૂબ જ મહેનત રહી હતી જેને પગલે આટલો મોટો પ્રસંગ પાર પડ્યો. શ્રીજી વિદ્યાલય દ્વારા બાળકોની આંતરિક શક્તિ ખીલવવા માટે થતા કાર્યક્રમને લોકોએ ભરપેટ વખાણ્યો હતો.