કલોલમાં ભારે વાહન પ્રવેશ કરશે તો થશે કાયદાકીય કાર્યવાહી,જાણો કેમ
કલોલમાં હવે સવારે આઠ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધી ભારે વાહન પ્રવેશ નહી કરી શકે. અધિક કલેકટરે જાહેરનામું બહાર પાડી જાહેરાત કરી છે. જો કોઈ માલવાહક વાહન પ્રવેશ કરશે તો કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કલોલમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાંને પગલે કોઈ લકઝરી બસ, માલવાહક વાહન કે 6 પૈડા કે તેનાથી વધુ પૈડા ધરાવતું વાહન પ્રવેશ કરી શકશે નહી. જોકે અમદાવાદ મહેસાણા હાઇવે તેમજ માણસા રોડને રાહત આપવામાં આવી છે. આ ઉપરાંત શાળાના વાહનો તેમજ સરકારી બસોને પણ રાહત આપવામાં આવી છે.
કલોલ નગરપાલિકા ટાઉનહોલની ખુરશીઓ તોડનારી શાળાને છાવરી રહી હોવાનો આરોપ
કલોલ તાલુકા મથક હોવાથી શહેરમાં મામલતદાર ઓફિસ,તાલુકા પંચાયત,કોર્ટ,નગરપાલિકા, બજાર,રેલ્વે સ્ટેશન હોવાથી ભારે ટ્રાફિક થાય છે. આ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સંજોગોમાં જાહેરનામાનો કેટલો અમલ થઇ શકે છે તે જોવું રસપ્રદ રહેશે.