કલોલના પાનસરમાં સરદારજી 6.26 લાખના દાગીના ચોરી ગયા હોવાની ફરિયાદ
કલોલ તાલુકાના પાનસર ગામે આવેલ રામદેવ નગર સોસાયટીમાં ચોરીનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. પાનસરમાં તિજોરીનું લોકની ચાવી બનાવવા માટે બે સરદારજી આવ્યા હતા અને તેમણે દાગીનાની ચોરી કરી
હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
કલોલના પાનસરમાં 6.26 લાખ રૂપિયાની રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી થઈ છે.પાનસર ગામમાં રહેતા ભગવતીબેન પોતાના ઘરે હતા ત્યારે બે સરદારજીઓ તીજોરીના લોકની ચાવી બનાવવા માટે આવ્યા હતા. તેમણે તિજોરીના લોકની ચાવી બનાવી હતી તેમજ એક સરદારજી દરવાજો સરખો કરતો હતો. તિજોરીની ચાવી બનાવ્યા પછી આ ચાવી કામ ન કરતા ભગવતીબેનને બંનેને બહાર નીકળી જવાનો કહ્યું હતું. આ બાદ તિજોરીનું લોક ખોલીને જોતા અંદરથી સોનાના દાગીના ગાયબ હોવાનું જણાવ્યું હતું. આશરે 6.26 લાખ રૂપિયાના સોનાના દાગીના તેમજ ચાંદીના દાગીના ગાયબ થતાં ઘરમાલીકે બે સરદારજી વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.