વાંદરાઓનું તોફાન : કલોલ પાલિકા પ્રમુખ-પ્રદેશ નેતાએ સ્થાનિકો-ઈજાગસ્તોની મુલાકાત લીધી 

વાંદરાઓનું તોફાન : કલોલ પાલિકા પ્રમુખ-પ્રદેશ નેતાએ સ્થાનિકો-ઈજાગસ્તોની મુલાકાત લીધી 

Share On

 પાલિકા પ્રમુખ-પ્રદેશ નેતાએ સ્થાનિકો-ઈજાગસ્તોની મુલાકાત લીધી

કલોલમાં બે દિવસથી વાંદરાઓ તોફાને ચડ્યા છે. બે દિવસમાં પાંચથી સાત લોકોને વાંદરાઓએ ઘાયલ કર્યા છે. જેને કારણે સમગ્ર વિસ્તારમાં ભય છવાઈ ગયો છે. તંત્ર દ્વારા વાંદરાઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર તંત્રને બે વાંદરા પકડવામાં સફળતા મળી છે જ્યારે ત્રીજો વાંદરો હજુ પક્કડમાં આવ્યો નથી.

ઘટનાને પગલે પાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ તેમજ પ્રદેશ ભાજપના નેતા નિલેશ આચાર્ય ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.અહીં તેઓ ઈજાગસ્ત વ્યક્તિને માનવતાને નાતે આર્થિક સહાય પણ કરી હતી. પ્રદેશ નેતા નિલેશ આચાર્ય પણ સવારથી વાંદરાઓને પકડવા આવેલ ટિમ સાથે ખડેપગે હાજર રહ્યા હતા. સ્થાનિકોએ વાંદરાઓના ત્રાસથી મુક્તિ અપાવવા પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. જેને લઈને પ્રમુખ દ્વારા ઝડપથી કામગીરી કરવાના પણ નિર્દેશ અપાયા છે.

કલોલ પાસેથી 9 લાખનો દારૂ ભરેલ ટ્રકને ઝડપી પાડતી એલસીબી 

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી  અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર