અમિત શાહે નારદીપુર ગામ સાથે જોડાયેલ જૂની યાદો તાજી કરી

અમિત શાહે નારદીપુર ગામ સાથે જોડાયેલ જૂની યાદો તાજી કરી

Share On

દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના નારદીપુર ગામ ખાતે ₹25 કરોડ ના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યુ હતું.  આજે ગાંધીનગરના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે જિલ્લાના રૂપિયા 25 કરોડથી વધુના વિકાસ કામોનું ઇ- લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું.

તેઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે   હું વિસ્તારની જનતાને ખાતરી આપું છું કે મોદીજી અને રૂપાણીજીના નેતૃત્વમાં આપણે ગાંધીનગરને દેશની સૌથી વિકસિત લોકસભાઓમાંની એક બનાવવાની દિશામાં સતત પ્રયત્નશીલ છીએ. વધુમાં તેઓએ નારદીપુર સાથે જોડાયેલ પોતાની યાદોને તાજી કરી હતી. તેઓએ કહ્યું હતું કે હું નાનો હતો ત્યારે અહીં રાખડી બંધાવવા આવતો હતો. આ ઉપરાંત માણસામાં નારદીપુરથી ઘણા બધા વિધાર્થીઓ મારી સાથે ભણતા હતા તેમ તેઓએ ઉમેર્યું હતું.

ગામના તળાવનું ખાતમુહૂર્ત કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તળાવના કિનારે વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું. તેમણે તળાવના નવીનીકરણમાં શું શું કરવામાં આવશે, તેની વિગતો મેળવી હતી. તેમજ તળાવથી મુખ્ય કાર્યક્રમ સુધી ચાલતા ચાલતા આવી ગ્રામજનોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમણે ગામના વડીલો તથા યુવાનો સાથે વાતચીત કરી હતી. કોરોનાની રસી તેઓએ લીધી કે નહિ, તેની માહિતી પણ મેળવી હતી.

 

કલોલ સમાચાર